સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

ખંભાળીયા તાલુકા ભાજપ દ્વારા નરેન્દ્રભાઇના જન્મદિને ૧૦ સ્થળે વૃક્ષારોપણ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૧ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી ખંભાળીયા તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા તથા અગ્રણીઓ દ્વારા વિશિષ્ટ રીતે કરાઇ હતી. વાડીનાર તથા આસપાસના ગામોના જૂદા જૂદા દસ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો કરીને તથા પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો હતો.

ભાજપ તાલુકા પ્રમુખ કિશોરસિંહ જાડેજાની સાથે મહામંત્રી કાનાભાઇ કરમુર, રવજીભાઇ નકુમ, હાજાભાઇ ચાવડા, જેઠાભાઇ પિંડારિયા સહિતના આગેવાનો જોડાયા હતા.

(1:18 pm IST)