News of Monday, 21st September 2020
લાલપુરમાં ફરી ભૂકંપના ૩ આંચકા
જામનગર જીલ્લાના તાલુકા મથકે ધરા ધ્રુજતા લોકોમાં ભય
રાજકોટ,તા. ૨૧: જામનગર જીલ્લાના લાલપુર નજીકમાં કાલે રાત્રીના ભૂકંપના ૩ આંચકા અનુભવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે કે, કાલે રવિવાર રાત્રીના ૧૧:૩૦ વાગ્યે લાલપુરથી ૭ કિ.મી. દુર દક્ષિણ દિશા તરફ ૧.૮ ની તિવ્રતાનો ભૂંકનો આંચકો અનુભવાયો હતો.
જ્યારે રાત્રીના ૧૧:૦૬ વાગ્યે ૨.૦ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનુ કેન્દ્ર બિન્દુ લાલપુરથી ૨૦ કિ.મી. દૂર પૂર્વ દિશા તરફ હતું.
જ્યારે રાત્રીના ૧:૧૫ વાગ્યે ૨.૨ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ લાલપુરથી ૨૪ કિ.મી. દૂર નોંધાયું હતું.
(11:47 am IST)