સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st August 2019

શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે પાર્થિવ શિવલીંગ પૂજા-અભિષેક

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસમાં ભાવનગરના શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે પૂ. સંતશ્રી સીતારામ બાપૂ દ્વારા પાર્થિકવ શિવલીંગનું સ્થાપન કરાવી પૂજા અર્ચના થઇ રહી છે. શિવજી એ કલ્યાણ સ્વરૂપ છે.  પૂ. સીતારામ બાપુ કહે છે કે જીવને શિવરૂપ બનવા માટે પ્રકૃતિ તરફ વળવુ પડશે અને આ માટે પાર્થિક પૂજા કરાવવામાં આવે છે. પ્રભુ કૃપાએ જીવન મળે છે અને એનાથી જ એ વિલય પામે છે. કઇક આવા જ ભાવ સાથે શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે પાર્થિવ શિવલીંગ પૂજા ચાલી રહી છે. સવારે પાર્થિવ શિવલીંગ બનાવવામાં આવે. આખો દિવસ પૂજા અભિષેક ચાલે અને સાંજે જળમાં વિસર્જન કરી દેવામાં આવે છે. તસ્વીરમાં પાર્થિક શિવલીંગની પૂજા થઇ રહી છે.

(11:56 am IST)