સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st August 2018

આ રક્ષાબંધને બહેનને ચિંતામુકત કરવા શ્રી નંદન કુરિયર લઈને આવી છે ખાસ મિસ કોલ સર્વિસ

બહેન ભાઇને રાખડીનું કુરીયર મોકલ્યા બાદ મિસ કોલ કરીને ડિલિવરીનું લાઈવ સ્ટેટસ જાણી શકશે નંદન કુરીયર દ્વારા રાખડી કુરીયર કરનાર બહેનોને ખાસ શુભેચ્છા સાથેનું ડેકોરેટેડ કવર પણ ફ્રી અપાશે

  રાજકોટઃ તા.૨૦, રક્ષાબંધનનો તહેવાર આવી ગયો છે અને હવે બહેનોની પોતાના ભાઇને રાખડી પહોેચાડવાની   ચિંતાઓ વધી ગઇ છે ત્યારે આ રક્ષાબંધનને બહેનોને  ભાઇને રાખડી પહોંચાડવાની  અને પહોંચી છે કે નહિ તેની ચિંતા કરવાની જરૂર નહી રહે કારણકે ગુજરાતની નં. ૧ અને એકમાત્ર લિમિટેડ કુરિયર કંપની શ્રી નંદન કુરિયર રક્ષાબંધન માટે લઈને આવી છે સ્પેશ્યલ મિસ કોલ સર્વિસ સૌથી મહત્વની વાત એ છે કે આ સહિતની વિશિષ્ટ સેવાનો માટે તેમજ રક્ષાબંધનને ઓછા દિવસો બાકી છે ત્યારે ઈમરજન્સી સહિતના કોઈપણ વધારાના ચાર્જ ગ્રાહક પાસેથી લેવામાં નહિ આવે ૨ાબેતા મુજબના જે  કુરીયર ચાર્જિસ છે તે જ ચાર્જિસથી કુરિયર સર્વિસ આપવામાં આવશે.

 

   આ મિસ કોલ સર્વિસ માં બહેન દ્વારા રાખડીનું કુરિયર કર્યા બાદ કંપનીના નં. ૮૧૪૧૩૩૬૬૬૬ પર મિસ કોલ કરીને રાખડી ડિલિવરીનું લાઈવ સ્ટેટસ જાણી શકશે. બહેન દ્વારા કુરિયર કરતી વખતે કુરિયર બુકિંગમાં રજિસ્ટર્ડ કરાવેલ મોબાઈલ નંબર પર થી માત્ર એક મિસ કોલ કરતા બહેનને રાખડીનું પેકેટે હાલ કયા છે, ડિલિવરી પ્રોસેસમાં છે કે ડિલવરી થઈ ગયું છે ? તે તમામ જાણકારી મેસેજમાં આવી જશે. આવી મિસ કોલ સર્વિસ માત્ર હાલ બેંકિંગ-ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીમાં જ છે પરંતુ કુરિયર ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારની મિસ કોલ સર્વિસ શરૂ ક૨ના૨ી શ્રી નંદન કુરીયર   ભારતની પ્રથમ કંપની છે. આ ઉપરાંત  આ વર્ષે રક્ષાબંધનને લઈને શ્રી નંદન  કુરિયર દ્વારા બહેનોને ખાસ શુભેચ્છા સાથેનું ડેકોરેટેડ કવર પણ  ફ્રિ અપાશે  અને જે પણ એક કુરીયર સર્વિસમાં એક નવીનતમ પહેલ છે.  રક્ષાબંધનના તહેવારની ખુશીઓ સાથે ભાઇ-બહેનના સંબધની ગંભીરતા અને ચિંતાને બખૂબી સમજતી શ્રી નંદન કુરિયર, કંપની દ્વારા તેની અનેકવિધ નવિનતમ સેવા સાથેના રક્ષાબંધનને લઈને ખાસ તૈયારી તકેદરીમો ૨ખાઈ  છે અને રક્ષાબંધનને લઈને રવિવારે પણ ડિલીવરી સર્વિસ ચાલુ ૨ખાશે નંદન કુરિયર તમામ ૬૫૦થી વધુ  બ્રાંચો  રવિવારે ખુલ્લી રહેશે. આ ઉપરાંત ભાઇ-બહેનોની ખુશીમાં ઉમેરો કરતા શ્રી નંદન કુરીયર દ્વારા આ રાખી ડિલીવરી એસએમએસ સેવા અને રાખી હેલ્પ લાઈન ચાલુ૨ાખવામાં આવી છે જેના દ્વારા ભાઈ- બહેનને રાખડીના કુરિયરમાં મળશે ખૂબ જ મોટી સફળતાના અને કોઈ પણ મુશકેલી વગર ધરબેઠા મોબાઈલમાં એસએમએથી જ મળી જશે કુરિયર ડીલિવરીની જાણકારી.  એસએમએસ સેવામાં બહેન જયારે રાખડીનું કુરિયર કરવા જશે ત્યારે તરત જ  શ્રી નંદન કુરીયર દ્વારા એસએમએસ આવશે અને જેમાં લખેલું હશે કે તમે તમારા ભાઈને રાખડી કુરિયર કરી છે અને સાથે કુરીયરનો કન્સાઇન્મેન્ટ નંબર તેમજ  રાખડીનો શુભેચ્છા સંદેશ પણ લખલો હશે. જયારે બીજી બાજુ ભાઇના મોબાઇલ નંબર બહેને રાખડી મોકલ્યાની જાણકારી સાથે કુરીયરનો કન્સાઇન્ટ નંબર અને શુભેચ્છા સંદેશ સાથેનો મેસેજ આવશે. આ ઉપરાંત ભાઇને રાખડી ઘરે કુરીયરથી મળતા તરત જ બહેનને ડીલીવર મેસેજ પણ મળી જશે. ભાઇ અને બહેનને મળનારા એસએમએસમાં શ્રી નંદન કુરીયર દ્વારા શરૂ કરાયેલ ખાસ હેલ્પલાઇન નંબર પણ લખેલો હશે. (૪૦.૯)

(11:57 am IST)