ભાવનગરના મહુવા ગ્રામ્ય,જૂનાગઢના સાસણગીર સહીત 11 જિલ્લામાં PI કક્ષાના 16 નવા પોલીસ સ્ટેશન બનશે
સુરતના અડાજણ અને સાયલાના ધજાળાના પણ નવા પોલીસ સ્ટેશન બનશે ;ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહની જાહેરાત
અમદાવાદ:રાજ્યનાગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યમાં આવેલા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા સાથે નવા પોલીસ સ્ટેશન બનાવવા અંગે માહિતી આપી હતી.
ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે ભાવનગરના મહુવા ગ્રામ્ય,અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર અને કેરાળા જી.આઇ.ડી.સી., કચ્છ પશ્વિમ,ભૂજના મુન્દ્રા તાલુકાના પ્રાગપર, માધાપર અને માંડવી કોડાયા, છોટા ઉદ્દેપુરના ઝોઝ (બારીયા તરફ આવેલા), જુનાગઢના સાસણ ગીર, દાહોદના બી. ડી.વીઝન, પાટણના સરસ્વતી, મહિસાગરના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન અને લુણાવાડ પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્યમાં બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન, સુરત શહેરમાં અડાજણ ખાતે નવું પાલ પોલીસ સ્ટેશન અને ચોક બજાર નવું સીંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલાના ધજાળા ગામે એમ કુલ-11 જિલ્લાના 16 નવા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે
તેમણે જણાવ્યું કે અમદાવાદ ગ્રામ્યના બાવળા ટાઉન, અમરેલીના બાબરા, આણંદના ખંભાત રૂરલ, કચ્છ પશ્વિમ,ભૂજના નખત્રાણા, ખેડા-નડિયાદના મહેમદાવાદ, ગાંધીનગરના માણસા, વડોદરા રૂરલના વાઘોડીયા પોલીસ સ્ટેશન તેમજ સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશન એમ કુલ હાલના 8 જિલ્લામાં 8 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરાશે