મોરબીના રફાળેશ્વર ગામ નજીક ધસમસતી ટ્રેન હડફેટે આવી જતા આધેડનું મોત: રેલ્વે પોલીસ ઘટના સ્થળે પહોંચી
મોરબી: મોરબીના રફાળેશ્વર નજીક આજે સવારના સુમારે વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન હડફેટે આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન આજે સવારના સુમારે રફાળેશ્વર નજીક પહોચી ત્યારે મિલેનિયમ પેપરમિલની સામે એક અજાણી વ્યક્તિ ટ્રેન હડફેટે આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે ડેમુ ટ્રેન અટકી ગઈ હતી અને અજાણી વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી જઈનેધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો મળતી વિગતો મુજબ મૃતક યુવાન મિલેનિયમ પેપરમિલમાં કામ કરતો હોય અને તેનું નામ અમરજીત વિરેન્દ્રભાઈ (ઉ.૪૪) ઓળખ થઇ હતી.તેમજ આધેડ અકસ્માતે ટ્રેન હડફેટે આવી ગયા છે કે આપધાત છે તે દિશામાં મોરબી તાલુકા પોલીસ મથકના એન.જે.નિમાવત સહિતના સ્ટાફે વધુ તપાસ ચલાવી છે.