સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

લખતરમાં ધારાસભ્ય દ્વારા લોક દરબાર યોજાયો

વઢવાણ તા.૨૧ : લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે લોકોના પ્રશ્નોનાં નિરાકરણ માટે લોકદરબાર યોજે છે. જે અનુસંધાને આજે તા.૧૮-૬-૨૧દ્ગચ જૂન મહિનાના ત્રીજા શુક્રવારે લખતર આરામગૃહખાતે એક લોકદરબારનું આયોજન કરાયુ હતું.

ધારાસભ્ય દ્વારા વારાફરતી અરજદારોને સાંભળવામાં આવ્યા હતા. જેમાં ગટર, રોડ, નાળા સહિતને લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા. જેના ધારાસભ્યએ સ્થળ ઉપરથી જ લગત અધિકારીઓ સાથે વાતચીત કરી લગભગ પ્રશ્નોનાં નિકાલ કરાયા હતા. આ લોકદરબાર વેળાએ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ રાણા, યુવરાજસિંહ રાણા, તાલુકા પંચાયત સદસ્ય પદમાબેન મકવાણા, પ્રવીણભાઈ મકવાણા સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(12:37 pm IST)