સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

જુનાગઢમાં પૂ. ભારતીબાપુના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

જુનાગઢઃ શ્રી ભારતી આશ્રમ ગુરૂકુળ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ભારતીબાપુ વિદ્યાધામ દ્વારા આજે ર૧ જુન વિશ્વયોગ દિવસની ઉજવણી આ સંસ્થાના સંસ્થાપક અને જુના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામીશ્રી વિશ્વંભર ભારતીજી મહારાજના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ ઉપરોકત તસ્વીરમાં યોગ નિદર્શન કરાવતા પુ.ભારતીબાપુ સાથે પુ.દલપતગીરીબાપુ, પુ.મહાદેવભારતીબાપુ, અલ્પેશભાઇ મહેતા, નિકુંજભાઇ રાવલ તેમજ ગુરૂકુલના આચાર્ય તથા સ્ટાફ તેમજ ગુરૂકુલના વિદ્યાર્થીઓ નજરે પડે છે.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:37 pm IST)