પ્રભાસ પાટણના રામદેવપીર મંદિરમાં કેરીનો મનોરથ અને બટુક ભોજન
(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ તા.ર૧: શહેરના મોટા કોળીવાડામાં આવેલ રામદેવપીરના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને ત્રીસ ર્વષ થતાં શેરીનો મનોરથ, બટુક ભોજન, આઇસ્ક્રિમ, પફનું વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા, તથા પ્રસાદ રૂપે કોળી વિસ્તારના ૫૦૦ ઘરોમાં કેરી વિતરણ થયુ હોવાની માહિતી અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અને પ્રભાસપાટણ માટા કોળી સમાજના મેનેજીંગ ટ્રસ્ટી કાનાભાઇ ગઢીયાએ આપી હતી.
આ તકે દેવાભાઇ ધારેસ, ડો. સંજયભાઇ પરમાર, ભરતભાઇ ચોલેરા, જયેશભાઇ પંડયા, દેવાયતભાઇ ઝાલા, હિતેષભાઇ વૈયાટા, રાજુભાઇ ગઢીયા, કાનાભાઇ ગઢીયા, ઉકાભાઇ ગઢીયા, રામભાઇ સોલંકી, પ્રવિણભાઇ ચુડાસમાᅠમુળજીભાઇ બામણીયા દિનેશભાઇ વાજા, હરેશભાઇ બામણીયા, પુંજાભાઇ ગઢીયા, માડાભાઇ બામણીયા, વાલજીભાઇ બામણીયા, કેતનભાઇ પરમાર, જગદીશભાઇ વાજા, દિવ્યેશભાઇ બામણીયા, હરેશભાઇ બામણીયા, હરેશભાઇ વાસણ સહિતના લોકો હાજર રહ્યાં હતા. સફળ બનાવવા કાનાભાઇ ગઢીયાના માર્ગદર્શન હેઠળ યુવાનોએ જહેમત ઉઠાવી હતી.