સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

ધોરણ-10માં નાપાસ થતા ઉપલેટાની વિદ્યાર્થીનીએ છ માળની બિલ્ડિંગમાંથી ઝંપલાવ્યું :દુકાનના છાપરા પર પડતા જીવ બચ્યો

રાજકોટ :આજે આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામ આવતા વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ઉપેલટાની ઉષાગૌરી નલીનભાઈ પરમાર નામની યુવતી બે વિષયોમાં નાપાસ થઈ હતી. તેણે પોરબંદર રોડ પર કાળાનાલા પાસે આવેલ 6 માળની બિલ્ડીંગ પરથી કૂદકો લગાવ્યો હતો. જોકે, ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનના છાપરા પર તે પડતા તેનો જીવ બચી ગયો હતો. આસપાસના લોકોએ તથા દુકાનદારોએ તાત્કાલિક તેને સારવાર માટો હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ તેની તબિયત સારી હોવાનું કહેવાય છે.

(1:24 pm IST)