સાવરકુંડલામાં સદ્દગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞ
સાવરકુંડલાઃ શહેરમાં શ્રી સદ્દગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી નાગરદાસ ધનજી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનમુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ. આ કેમ્પનું દિપ પ્રાગટય પ. પુ. મહંત શ્રી નારાયણદાસ સાહેબ, અને કબીર ટેકરીના ટ્રસ્ટી શ્રી અરવિંદભાઇ કંટારીયા (મુંબઇ વાળા)ની સાથે સાગર સાહેબ તેમજ સુદર્શન નેત્રાલયમાંથી કિર્તીભાઇ અમરેલીવાળા, કબીર યુવા ગ્રુપ પ્રમુખ અરવિંદ મેવાડા, કન્વીનર રામદેવસિંહ ગોહીલ, સહકન્વીનર હેમાંગભાઇ ગઢિયા, સુદર્શન નેત્રાલય તરફથી કિશોરભાઇ ત્રિવેદી, ભદ્રેશભાઇ, વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હૈલેયા, કૌશિકભાઇ મહેતા, કબીર ટેકરી વતી હિતેશભાઇ નિમ્બાર્ક, નિલેષભાઇ જોષી, લક્ષ્મણભાઇ રાઠોડ, લાલભાઇ મંગલદીપ, દીલીપભાઇ મીસ્ત્રી, જગદીશભાઇ જયાણી, જયેશભાઇ રાઠોડ, તુલસીભાઇ મકવાણા, સુમિતાબેન પ્રિતીબેન, વગેરે સેવા આપી હતી. જેમાં ર૬ર ઉપરાંત દર્દીઓને લાભ લીધો હતો. અને પ૯ દર્દીઓને મોતીયા ઓપરેશન વિનામુલ્યે અમરેલી મોકલવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ દિપક પાંધી-સાવરકુંડલા)