સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

ભાવનગરના ડો.કૌશલ્યાબેન દેસાઇનો ગ્રાફોલોજી ક્ષેત્રે વિશેષ પ્રદનઃ ૨૬માં વર્ષમાં પ્રવેશ

ભાવનગર, તા.૨૧: કાળીયાબીડ વિસ્તારમાં 'કૌશલ્યા જયોતિષ કાર્યાલય' માં ગ્રાફોલોજી અંતર્ગત અનેક લોકોના વિવિધ કામોનું સચોટ માર્ગદર્શન કરનાર ડો. કૌશલ્યા દેસાઈ આજે તેના આ ક્ષેત્રમાં ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. વિદેશોમાં પણ ગ્રાફોલોજી ક્ષેત્રે ભારે નામના પ્રાપ્ત કરી ભારતનું નામ રોશન કરનાર ડો. કૌશલ્યા દેસાઈને ગુગલ પર પણ ભારે નામના મેળવી છે. ગ્રાફોલોજી અંગે ગુગલ પર વેબસાઈટ સર્ચ કરતાની સાથે જ પ્રથમ નામ ડો.કૌશલ્યા દેસાઈનું જ જોવા મળે છે અને તેની વેબસાઈટને પણ લાખો લોકો સર્ચ કરી ગ્રાફોલોજી અંગે માર્ગદર્શન મેળવી રહ્યા છે. વ્યકિતના લખાણ પરથી તેમના જીવનની ઘટનાઓ અને સમસ્યાનું સચોટ માર્ગદર્શન કરી તેનું યોગ્ય નિરાકરણ લાવી લોકો માટે એક આશાનું કિરણ બની રહેલા ડો.કૌશલ્યા દેસાઈ ને (મો.૯૮૨૪૪૪૫૮૮૯) શુભેચ્છાઓ પ્રાપ્ત થઇ રહી છે.

(11:38 am IST)