News of Tuesday, 21st May 2019
ઇવીએમ સાથે ચેડા ન થાય તો પોરબંદરની બેઠક સહિત ગુજરાતમાં કોંગ્રેસ ૧ર થી ૧૩ બેઠકો જીતશે આહિર
ઉપલેટ, તા. ર૧ : વર્તમાન લોકસભાની ચૂંટણીના પરિણામ અંગે બોલતા ગઢાળાના યુવા અગ્રણી નારણભાઇ આહીરે જણાવેલ છે કે એકજીટ પોલના તારણો કયારેય સાચા પડતા નથી. ગુજરાતમાં ખેડૂતોને પાક વિમો મળ્યો નથી, જણસીના પુરતા ભાવો મળતા નથી, ખાતરમાં ઓછા વજન, તુવેર મગફળીમાં કૌભાંડો, પીવાના પાણી મુશ્કેલી જીવન જરૂરીયાત ચીજોમાં મોંઘવારી, વીજળી પેટ્રોલ ડીઝલ સહિતના આસામાને ગયેલા ભાવો અને બેફામ ભ્રષ્ટાચાર યુવાઓને રોજગારી ના પ્રશ્ન સહિતની બાબતે ગુજરાતમાં વર્તમાન કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારથી નાના ધંધાર્થીઓ યુવાનો ગરીબો ખુબ જ નારાજ હોય ત્યારે લોકસભાની ચૂંટણીમાં જો ઇવીએમ સાથે ચેડા ન થાય તો પોરબંદર સહિત ગુજરાતમાં કોંગ્રેસને ૧ર થી ૧૩ સીટ મળશે તેવું અંતમાં જણાવેલ છે.
(11:37 am IST)