સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

અંજાર-રાપર બસનું ટાયર નીકળી જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યોઃ ૪ પ્રવાસીઓને ઇજા : ગંભીર અકસ્માત ટળ્યો

ભુજ,તા. ર૧ : સલામત સવારીના દાવા વચ્ચે અંજાર રાપર વચ્ચે દોડતી બસનું ટાયર નીકળી જતાં ગંભીર અકસ્માત ટળ્યો હતો. સદભાગ્યે ડ્રાઇવરે કાબુ મેળવી લીધો હતો,પણ નિરંકુશ બસ બાવળની ઝાડીઓમાં દ્યુસી ગઈ હતી. પરિણામે ચાર મહિલા પ્રવાસીઓ શાંતાબેન ગોસ્વામી, મધુબેન કોલી, ચેતનાબેન ગોસ્વામી, શાંતિબેન કોલીને ઈજાઓ થઈ હતી, જેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કચ્છની એસટી બસોમાં વપરાતા જુના ટાયરો અકસ્માતનું કારણ બનતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

(11:36 am IST)