સુરેન્દ્રનગરના મુળીમાં પાણી વાળવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ સવારે લાશ મળી : હત્યા કરનારની શોધખોળ
વઢવાણ તા ૨૧: મુળીના કોળીપરા વિસ્તારમાં રહેતા કરમશીભાઇ પ્રભુભાઇ ગળધરીયા ત્રીજા ભાગે ખેતી રાખી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હતાં હલમાં ખેતરમાં ઉનાળુ જુવારનું વાવેતર કરાયુ હોવાથી રોજ તેની માવજત અને દેખભાળ રાખવા કરમશીભાઇ ખેતર જતા હતા ખેતર માલીકના મોટર સાયકલ બેસી અવાર-નવાર તેઓ ખેતરે જતા હતાં.
રોજના ક્રમ પ્રમાણે મોડી સાંજે ઘરે જમીને તેઓ જીતેન્દ્રસિંહના બાઇકમાં બેસીને ખેતરે ગયા હતાં. બાદમાં સવારે ઘરે ન આવતા પરિવારજનો મુંઝવણમાં મુકાયા હતા અને તેમને શોધવા પરિવારનાં સભ્યો આમ તેમ ફરતા હતા આ દરમિયાન કરમશીભાઇ ની લાશ તે જે ખેતર વાવતા હતા તે જ ખેતરમાં જાહેરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. પીએસઆઇ ડી. બી. રાણા, ગીરીરાજસિંહ જાડેજા, રાયસંગભાઇ સહિતનાઓએ સ્થળ પર જઇ લાશને પી. એમ. માટે દવાખાને મોકલી આપી હતી. જેને ડોકટર દ્વારા તપાસ કરતા કરમશીભાઇ ગળધરીયાને માથાના ભાગે તિક્ષ્ણ હથીયાર ના ઘા મારી હાથના ભાગે ઇજાઓ પહોંચાડી હત્યા નિપજાવી હતી.
શા માટે કરી ? સહિતની તપાસ માટે પોલીસે એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણી ઘટના સ્થળ પર જઇ વિગતો મેળવી આરોપીને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
કરમશીભાઇની જે જગ્યા પર હત્યા થઇ છે તે જોતા એવું જાણવા મળી રહ્યું છે કે જે જગ્યાએ પાણી વાળતા હતા તે જ જગ્યાએ તેમની લાશ મળી આવી હતી. આથી બનાવ પહેલા કોણ મળવા આવ્યુ હશે અને બાદમાં બોલાચાલી બાદ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકયા હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે.