જેતપુરમાં દુકાનમાં ભીષણ આગ લાગતા છ લાખનું નુકશાન
જેતપુર, તા.૨૧: જેતપુરના સુદામાનગર વિસ્તારમાં હોલસેલરની દુકાનમાં આગ લાગતા ૬ લાખની નુકસાની થઇ હોવાનું જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત અનુસાર અત્રેના સુદામાનગર એસ.ટી વર્કશોપ પાછળ રાધીકા સેલ્સ નામની જ્.પ્.ઘ્.ઞ્ની હોલસેલની દુકાન ધરાવતા કરણભાઇ માત્રાવાડીયા (રહે. સુદામાનગર) પોતાના નિત્યક્રમ મજુબ ગઇકાલે તેનુ કામ પતાવી ઘેર જતા રહ્યા હતા. બાદ રાત્રે કોઇએ તેમને ફોન કરેલ કે તેની દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળે છે. જેની કરણભાઇ તેના પરીવારજનો સાથે દુકાન ખોલતા અંદર આગની જવાળાઓ નીકળતા હોય તાત્કાલિક ફાયર હાઇટરને જાણ કરેલ. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દુકાનનો તમામ માલ સામાન ફર્નીચર એસી, કોમ્પ્યુટર સહિત મળી અંદાજીત ૬ લાખનો માલ સામાન બળી ગયો હતો. ફાયર ફાયટરના લોકોએ ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં કરી હતી.
જો કે આગથી અન્ય કોઇ જાનહાની કે કોઇ બીજાની મિલ્કતમાં નુકશાન થવા પામેલ ન હતું.