સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

દ્વારકાધીશના દર્શનાર્થીના ખિસ્સામાંથી પાકીટની ચોરી

ગઠીયાએ પાકીટમાં રહેલા ૧૦ હજાર રોકડા લઇ લીધા ઉપરાંત એટીએમ દ્વારા ૪૦ હજાર પણ બેન્કમાંથી સેરવી લીધા

દ્વારકા તા. ર૧ :.. જગત મંદિરે અમદાવાદના યાત્રીક પરેશભાઇ બલદેવભાઇ ત્રિવેદી દર્શને ગયા હતાં.અધિક (પરષોતમ માસ) ચાલી રહ્યો છે. મંદિરમાં બહુભિડ હોવાથી ભીડનો લાભ લઇ અજાણ્યો તસ્કર પરેશભાઇના ખિસ્સામાંથી પર્સ સેરવી નાસી છૂટેલ હતો.

બનાવ બાદની થોડીવાર પછી ખીસ્સામાંથી પૈસા કાઢવા જતા પર્સ મંદિરમાં ભીડમાંથી કોઇ તસ્કરો કાઢી ગયેલ હોવાની જાણ થતા તુરંત દ્વારકા પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા પહોંચેલ હતાં.

તે પર્સમાં ૧૦ હજાર રૂપિયા રોકડા બે એટીએમ તેમજ અગત્યના આઇકાર્ડો હતાં.

તેમાં એક એટીએમમાં પાસવર્ડ કવર ઉપર લખેલ હતો. તે એટીએમ દ્વારા પૈસા દ્વારકાની બીઓબી તેમજ પંજાબ નેશનલ બેંકના એટીએમમાંથી જૂદી જૂદી વાર દસ દસ હજાર કરીને ચાર વાર એટીએમમાંથી ૪૦,૦૦૦ કાઢયા હતાં તેમજ દસ હજાર રોકડા સહિત પ૦,૦૦૦ હજાર લઇ અજાણ્યો શખ્સ  પલાયન થઇ ગયેલની ફરીયાદ દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. (પ-૧૩)

(12:25 pm IST)