સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

ગોંડલના વેરાઇ હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોરોના દર્દીઓને મદદરૂપ થવા રૂ.૭.૨૦ લાખ અર્પણ

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા. ર૧ :.. ગોંડલમાં કોરોના માં વિકટ પરિસ્થિતિમાં લોકોને ઉપયોગી થવા માટે ગોંડલ કોલેજ ચોક પાસે શ્રી વેરાઇ હનુમાનજી મંદિરના પ્રમુખ ભીખુભા જાડેજા, નાનાલાલ પરમાર, જે. પી. વાડોદરીયા, વસંતભાઇ નિર્મળ,હસુલાલ રૈયાણી દ્વારા ઐતિહાસિક  નિર્ણય લેવાયો હતો. વર્ષોથી મંદિરમાં લોકોએ દાનમાં આપેલ રૂપિયાનો સદઉપયોગ થાય તે હેતુથી ઓકસિજનના બાટલા તથા કીટ લેવા માટે રૂ. ૭.ર૦ લાખનો ચેક ધારાસભ્યના પુત્ર ગણેશસિંહ જાડેજાને અર્પણ કરી ઉદાહરણ પુરૂ પાડેલ છે.

(12:09 pm IST)