સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st April 2018

માંગરોળના ગોરેજની સગીરાને વશ કરવા નરાધમોની ધમકી

 માંગરોળ તાલુકાના ગોરેજ ગામે રહેતા એક પરિવારની ૧૬ વર્ષની સગીર પુત્રીને ગઇકાલે આંતરી ગામના જ કિશન કાનજીએ વિપુલ ધીરૂ સોલંકી સાથે વાત કરવા જણાવીને ધમકી આપી હતી. આ પછી નરાધમોએ સગીરાના ઘરે જઇ ત્યાં અમારી સાથે ખરાબ કામ નહિ કરે તો તારા પરિવારને મારી નાખશું એવી ધમકી આપી હતી. આ અંગે સગીરાને માતાએ વિપુલ ધીરૂ સોલંકી, કિશન કાનજી અને સુરેશ ધીરૂ સામે ફરીયાદ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. (૧.૧૨)

(11:33 am IST)