News of Saturday, 21st April 2018
આસિફાને ન્યાય આપવા કેન્ડલમાર્ચ યોજાઇ
જસદણ તા.૨૧ : આસિફાને ન્યાય માટે - ઉનાવાના પ્રકરણમાં ન્યાયની માંગણી સાથે જસદણના ટાવર ચોક થી જુના બસ સ્ટેન્ડ સુધી રફીકભાઇ ગોગદાની આગેવાનીમાં સાઇલભાઇ મીઠાણી, રાઇસભાઇ કુરેશી, સુરેશભાઇ છાયાણી, જયેશભાઇ માયાત્રા, વિશાલભાઇ શુકલા, ઈરફાનભાઇ બોદલા, મહેબુબભાઇ પઠાણ સહિતના મોટીસંખ્યામાં લોકોએ એકત્ર થઇ કેંડલમાર્ચ યોજી હતી. આસીફાને ન્યાય માટેના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
(11:30 am IST)