દ્વારકામાં શ્રીમદ શંકરાચાર્યજી મહારાજની જન્મજયંતિની ઉજવણી
દ્વારકા : દ્વારકા શારદાપીઠમાં સનાતનધર્મના સ્થાપક અને પ્રણેતા આદી.શંકરાચાર્યની જન્મજયંતિ મહોત્સવ ખુબ ધામધુમથી ધાર્મિક અને શાસ્ત્રોકત વિધીથી પ્રારંભ થયો છે. શારદાપીઠમાં પરિષદમાં સ્વામી શ્રી નારાયણનંદજી ની ઉપસ્થિતીમાં સાધુ સંતો અને ભકતોજનો તથા શહેરના અગ્રણીઓ અને સાંસ્કૃતિ પાઠશાળાના છાત્રો ની વિશાળ ઉપસ્થિતીમાં આદરણીય શંકરાચાર્યની પાદુકાપુજન તથા દ્વારકાધીશના શિખર પરધ્વજા આરોહણનો કાર્યક્રમ યોજાયો હતો. આદી શંકરાચાર્યજી સ્થાપીત દ્વારકાધામની આ પૂજ્ય પીઠ હોય દ્વારકાવાસીઓમાં પણ જન્મજયંતિ મહોત્સવનો ભાવભેર ઉત્સવ રહ્યો હતો. બપોરબાદ દ્વારકા શારદાપીઠમાં ભોજનબાદ તથા શારદાપીઠ આમંત્રીત મંદિરમાં પણ ખાસ ઉત્સવના દર્શન યોજાયા હતા. (તસ્વીર અહેવાલ : વિનુભાઇ સામાણી દ્વારકા)