News of Saturday, 21st April 2018
વાંકાનેરમાં તોડી પડાયેલા પતાળીયા પુલથી લોકોની પરેશાનીમાં વધારો
વાંકાનેર, તા., ર૧: પતાળીયા નદી પર બેઠો પુલ હતો તે પહોળો અને ઉંચો બનાવવા હેતુ રાજય સરકારે ગ્રાન્ટ ફાળવી હતી. જે ગ્રાન્ટના આધારે મોરબી જીલ્લા કલેકટર આઇ.કે.પટેલે જાહેરનામુ પ્રસિધ્ધ કરી આગામી તા.૧પ-પ-૧૮ સુધીમાં આ પુલ નવો બનાવવા અંગે જાહેર પ્રસિધ્ધી કરેલ છે.
પુલ તોડી પડાયા બાદ આ જાહેરનામામાં દર્શાવાયેલ મુદત મુજબ હવે માત્ર ર૪ દિવસ બાકી રહયા છે. પુલ તોડી પડાયા બાદ નવા પુલ બનાવવાની કોઇ જ કામગીરી આરંભાઇ નથી તો આ જાહેરનામાનો અર્થ શું? પુલ તોડી પડાતા લોકોની પરેશાની ખુબ વધેલી જોવા મળે છે.
(11:18 am IST)