ગોંડલ લોહાણા મહાજન ના નવા પ્રમુખ અને હોદેદારોની વરણી
સાધારણ સભામાં ગોંડલ લોહાણા મહાજન ના આગામી 3 વર્ષ માટે પ્રમુખ- ઉપપ્રમુખ-મંત્રી - ટ્રેઝરર સહીત કારોબારી સદસ્યો ની વરણી
ગોંડલ : ગોંડલના શ્રી લોહાણા મહાજન વાડી ખાતે 19 માર્ચ ના રોજ એક સાધારણ સભા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગોંડલ લોહાણા મહાજન ના આગામી 3 વર્ષ માટે પ્રમુખ- ઉપપ્રમુખ-મંત્રી - ટ્રેઝરર સહીત કારોબારી સદસ્યો ની વરણી કરવામાં આવી હતી. જેમાં શ્રી લોહાણા મહાજન પ્રમુખ તરીકે ગોંડલન અગ્રણી ઉદ્યોગપતિ અને વ્યાપારી એવા જગદીશભાઈ ગણાત્રા ને પ્રમુખ તરીકે નો ચાર્જ સોંપાયો હતો. ઉપ પ્રમુખ તરીકે પ્રકાશભાઈ ઠકરાર અને જયેશભાઇ ભોજાણી, મંત્રી તારીકે સુનિલભાઈ ગઢીયા - અલ્પેશભાઈ જીવરાજની ખજાનચી અનિલભાઈ ગાદેશા, સહ ખજાનચી - હરિભાઈ સેજપાલ ઈ.ઓડિટર કૌશિકભાઈ પાવાગઢી અને 31 કારોબારી અને 5 આમન્ત્રિત કારોબારી સભ્યો ની નિમણુંક કરવામાં આવેલ ઉપસ્થિત સૌ જ્ઞતિજનો મહાજન ના પૂર્વ આગેવાનો દીપકભાઈ સોનપાલ, પ્રહલાદભાઈ પારેખ, રમેશભાઈ કારિયા, સહીત ના આગેવાનો એ હર્ષભેર અવકારેલ હતા. મહાજન ના નવા વરાયેલ પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા એ તેમની આકાંક્ષા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજ કલ્યાણ ના વિવિધ કામો જ્ઞાતિ ના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો, જલારામ જયંતી ની વિશિષ્ટતા થી ઉજવણી તેમજ સમાજ ઉપયોગી કામો કરવા તેમની ટીમ તત્પર રહેશે.