સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st March 2019

મોરબી : લોખડનો દરવાજો પડતા ધવાયેલ બાળકીનું સારવારમાં મોત

મોરબી : મોરબીની અવની ચોકડી નજીક આવેલ સીયારામ હાઈટ્સ નામના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમી રહેલ વિદ્યા વિષ્ણુભાઈ ઠાકોર (ઉ.૩) પર ગત તા.૮ ફેબ્રુઆરીના રોજ લોખંડનો વજનદાર દરવાજો માથે પડતા ગંભીર રીતે ધવાયેલ વિદ્યાને રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવી હતી.જ્યાં તેણીનું ગત તા.૧૦ ફેબ્રુઆરીના સાંજના સુમારે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:05 pm IST)