સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

ખંભાળીયામા ઉપવાસીની તબિયત લથડી ''ઉપવાસ ન છોડવા જીદ

ખંભાળીયાઃ દેવભૂમિ દ્વારકા જીલાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે ૭૨ કલાકના ઉપવાસ પર બેઠેલા ખેડૂત કનુભાઇ આંબલિયાની તબિયત લથડી... સ્થળ પર આવેલ તબીબ દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલે ખસેડવાની સલાહ આપેલ... પરંતુ ઉપવાસીની ઉપવાસ ન તોડવાની જીદ...

ખેડૂતો દ્વારા તંત્ર સામે પાક વીમા, ટેકાના ભાવ વિગેરે  પ્રશ્નો માટે ૭૨ કલાકના ઉપવાસ આંદોલન ચાલુ છે જેનો આજે બીજો દિવસ છે.

 

(7:47 pm IST)