બોરસદ પાસે અકસ્માતઃ જસદણના હિરાના કારખાનેદાર જેન્તીભાઇ પ્રજાપતિનું કરૂણ મોત
જસદણ તા. ર૧ :.. જસદણના જેન્તીભાઇ લાખાભાઇ હળવદીયા નામના હીરાના કારખાનેદારનું કાર અકસ્માતમાં મૃત્યુ નિપજતાં પ્રજાપતિ સમાજમાં શોકની લાગણી છવાઇ હતી. આજે સવારે નીકળેલ તેમજ અંતિમ યાત્રામાં વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતાં.
કેલાસનગર વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા જેન્તીભાઇ ગઇકાલે તેમના એક સંબંધી સાથે પોતાની કારમાં જસદણ થી વડોદરા પોતાના પુત્રને મળવા જતાં હતા ત્યારે આ કાર બોરસદ તાલુકાના દાઓલ પાસે આ કાર પહોંચતા ત્યાં હાઇવે પર પાછળથી તેજ ગતિએ ચાલતા એક ટ્રક ચાલકે હડફેટે લેતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અને કાર ચાલક જેન્તીભાઇનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.
આ બનાવમાં અન્ય બે પ્રાગજીભાઇ, અને મંજૂબેન નામની વ્યકિતને સામાન્ય ઇજા થઇ હતી. મૃતક જેન્તીભાઇને બે પુત્રી સાસરે છે. જયારે એક પુત્ર એન્જીનીયર અને એક પુત્ર ડોકટર છે. જેને મળવા જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.