જુનાગઢ નિસર્ગ નેચર કલબ દ્વારા રપ૦૦ ચકલીના માળાનું વિતરણ
વર્ષોથી વન અને પર્યાવરણ પશુ અને પક્ષીઓનું જતન કરતી સેવાભાવી સંસ્થા નિર્સગ નેચર કલબ જુનાગઢ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમીતે વિનામુલ્યે રપ૦૦ ચકલીના માળાનું જયશ્રી સિનેમા પાસે વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ડો.પાર્થ ગણાત્રાએ લોકોને પોતાની અગાશીમાં અથવા રવેશમાં અબોલ પક્ષીઓ માટે ઉનાળામાં વાસણમાં અથવા માટીના કુંડામાં પાણી રાખવા અનુરોધ કર્યો હતો. ઉપરોકત તસ્વીરમાં ચકલીના માળાનું વિતરણ કરતા ડો.પાર્થ ગણાત્રા, પ્રદિણભાઇ ખીમાણી, જીતુભાઇ કોટેચા મનસુખભાઇ વાજા કિશોરભાઇ ચોટલીયા આશિષભાઇ, મોનાલીબેન ગણાત્રા, અલ્પાબેન ઉનડકટ, નિમીષભાઇ હાંસલીયા ડો.જય રાણીંગા મનોજભાઇ પોપટ, અજયભાઇ ટીટા, ઇરફાનભાઇતેમજ નિસર્ગ નેચર કલબ જુનાગઢ ટીમના ભાઇઓ બહેનોએ પોતાની અમુલ્ય સેવા આપી હતી.(અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)