ઉના પાલીકાનાં કર્મચારીઓનો ચોથા તથા પાંચમાં પગાર પંચની મોંઘવારી જાહેર કરી ચુકવવા માગણી
ઉના તા. ર૧ :.. નગરપાલીકા કર્મચારી મંડળનાં પ્રમુખ મનુભાઇ માયાભાઇ બાંભણીયા ત્થા ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કે. ગોસાઇ તથા કર્મચારીઓએ સહી કરી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને લેખીતમાં રજૂઆત કરી છે. કે ઉના નગરપાલીકા ત્થા રાજયની ઘણી નગરપાલીકાનાં કર્મચારીઓને ૪થુ ત્થા પાંચમું પગાર પંચ જાહેર કરેલ ને બે વરસ જેવો સમય થઇ ગયો છે. છતાં રાજય સરકારે ચોથા અને પાંચમાં પગાર પંચ મુજબ આજ દિવસ સુધી મોંઘવારી જાહેર કરેલ નથી.
કાળઝાળ મોંઘવારીમાં ઓછા વેતનથી ઘર ખર્ચે પુરો પડતો નથી. કર્મચારીઓ જન્મ, મરણના, દાખલ, લાઇટ, સફાઇ, પાણી સપ્લાઇની તેમજ રાષ્ટ્રીય કામગીરી કરે છે. આજે એક વીસમી સદીમાં વીસમી સદીથી ઓછુ વેતન મળતું હોય વહેલી તકે મોંઘવારી જાહેર કરી ચુકવણી કરવો, સમાન કામ, સમાન વેતનની અમલવારી વહેલી તકે કરવા માંગણી કરી છે.