સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

ભાયાવદરમાં ચકલીના માળાનુ વિતરણ

ઉપલેટાઃ વિશ્વ ચકલી દિન નિમિતે તાલુકાના ભાયાવદર ગામ ખાતે ચકલી માટે મળા-ચણ માટેની પ્લેટ અને પાણીના કુંડાનુ આશરે ૫૦૦૦ થી ૭૦૦૦ની માત્રામાં વિતરણ કરવામા આવેલ હતું. સેવાભાવી નરેન્દ્રભાઇ દ્વારા કુંડાઓનુ વિતરણ કરી ચકલી દિવસની ઉજવવણી કરી લુપ્ત થતી ચકલીની પ્રજાતીનો ઉચ્છેર કરવા માટેની શહેરમાં જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમકનું આયોજન કરેલ હતું. જેમા ભાયાવદર નગરપાલિકા, વિવિધ સમાજના આગેવાનો સહીત ગ્રામજનોએ સાથે રહી ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘરે ઘરે ચકલીના માળા પહોંચે તે માટેની વ્યવસ્થા કરેલ હતી. માળા  વિતરણ કરવામાં આવ્યુ તે તસ્વીર.(તસ્વીરઃ ચોટાઇ-ઉપલેટા)

(11:24 am IST)