સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

ટંકારાના નેકનામમાં માલધારીના વાળામાં શિકારી કુતરા ઘુસી જતા 45 ઘેટાં-બકરાના મોત :ભરવાડ પરિવારની રોજી રોટી છીનવાઈ

ટંકારાના નેકનામ ગામે માલધાર ના વાળામાં શિકારી કૂતરા ઘૂસી જતાં ૪૫ ઘેટાં-બકરાંના મોત નિપજતા ભરવાડ પરિવારની રોજી રોટી છીનવાઈ ગઈ છે.

 આ અંગે મળતી વિગત મુજબ નેકનામ ગામે રહેતા માલધારી ભલાભાઇ ભીખાભાઈ લામકાના વાડામાં ગતરાત્રે શિકારી કૂતરા ઘુસી જતા ઘેટાં-બકરાં ને બચકા ભરી લોહીલુહાણ કરી નાંખ્યા હતા અને કુતરાથી બચવા ઘેટાં બકરામાં નાસભાગ મચી જતા ૪૫ જેટલા ઘેટાં બકરાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં
  ઘટનાની જાણ થતા પશુ ડોકટર પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમનો ટેલિફોનિક સંપર્ક સાધતાં જણાવ્યું હતું કે ઘેટાં અને બકરા શિકારી કૂતરા ને જોતા જ ભાગદોડ મચી અને આ આખી ઘટના બની હતી.

 બીજી તરફ આજીવિકા સમા ધેટા બકરાના મોતથી માલધારી પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી શિકારી કૂતરાએ ઘેટાં બકરા ફાડી ખાતાં લોહીલુહાણ હાલતમાં ઘેટા બકરા મોટી સંખ્યામાં મોતને ભેટતા મૃતદેહનો નિકાલ કરવામાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી

(10:16 pm IST)