સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st February 2019

વાંકાનેરમાં લુહાર જ્ઞાતિ દ્વારા શહીદ વીરોને શ્રધ્ધાંજલી

વાંકાનેરઃ શ્રી મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિ પ્રસંગે પૂજન-આરતી બાદ કાશ્મીરમાં પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સી.આર.પી.એફ.ના વીર જવાનોને લુહાર જ્ઞાતિના ઉપસ્થિત સર્વેએ મોૈન પાડી શ્રધ્ધાંજલી આપી હતી અને આતંકવાદને ખતમ કરવા અને આતંકવાદીઓને પોસતા પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી અને શહીદ વીરોના પરિવાર માટે ધનરાશી એકઠી કરી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડના દાતા રમેશભાઇ હેમચંદભાઇ મકવાણા તથા જ્ઞાતિના પ્રમુખ યુવક મંડળના પ્રમુખ સહિત બન્ને સંસ્થાના હોદ્દેદારો અને મંચસ્થ અગ્રણીઓના હસ્તે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શીલ્ડ આપી સન્માનીત કરવામાં આવેલ અને તેઓ શિક્ષણક્ષેત્રે ખુબ આગળ વધે તેવા સૌ એ આશિર્વાદ આપ્યા હતાં. જયારે અંતમાં મહાઆરતીનો લાભ શ્રી ગોપાલભાઇ ત્રિભોવન રાઠોડ પરિવારે લીધો હતો. શ્રધ્ધાંજલી આપવામાં આવી તે તસ્વીર.(૧.૨)

 

 

(11:50 am IST)