સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

સોમવારથી રાજુલાના દેવકામાં પુ.રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહઃ યુટયુબ સાન્દીપની ટીવીમાં ઓનલાઇન કથાનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૧ : આગામી તા.રપ જાન્યુઆરીને સોમવારથી અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના જુના દેવકા ખાતે દરરોજ સવારે ૧૦ થી બપોરના ર વાગ્યા સુધી પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ભાગવત કથા યોજાનાર છે.

પુ.ભાઇશ્રી જન્મભૂમિ એવી દેવકાની ભૂમિ ઉપર પચ્ચાસ વર્ષ પહેલા ૧૩ વર્ષની ઉમરે પુ.ભાઇશ્રીએ ગીતા જ્ઞાન યજ્ઞ કર્યો હતો એ પછી પાંચ દાયકા પછી પ્રથમવાર પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના શ્રીમુખે ભાગવત જ્ઞાનયજ્ઞ થવા જઇ રહ્યો છે.

કોરોનાના કારણે સરકારની ગાઇડલાઇન પ્રમાણે મર્યાદિત શ્રોતાઓની ઉપસ્થિતીમાં કથા યોજાશે જેનુ યુટયુબ સાન્દીપની ટીવીના માધ્યમથી લાઇવ પ્રસારણ થશે. અને ઓનલાઇન કથા શ્રવણનો લાભ ભાવિકો લઇ શકશે તા.૩૧ જાન્યુઆરીના રોજ ભાગવત સપ્તાહની પુર્ણાહુતિ થશે

(1:28 pm IST)