સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th January 2020

વાંકાનેરના દલડી નજીક છકડો રીક્ષા પલટી જતા નવાપરના યુવાનનું મોત

વાંકાનેરના દલડી ગામ નજીક છકડો રીક્ષા પલટી મારી ગયો હતો જેમાં યુવાનનું મોત થયું છે જે બનાવ મામલે અર્જુનભાઈ મનજીભાઈ ચારોલીયા (રહે નવાપરા વાંકાનેર વાળા)એ ફરિયાદમાં જણાવ્યું છે કે મરણજનાર કરણભાઈ અર્જુનભાઈ ચારોલીયા (ઉ.વ.૨૦) (રહે નવાપરા વાંકાનેર ) વાળા છકડો રીક્ષા નં જીજે ૦૩ એએક્સ ૯૭૨૪ લઈને દલડી ગામ નજીકથી જતો હોય ત્યારે ગોલાઈમાં છકડો રીક્ષા પલટી જતા યુવાનનું મોત થયું છે

(1:26 am IST)