તાલુકા મથક હોવા છતાં કોટડાસાંગાણી - રાજકોટ રૂટની બસ શરૂ ન કરાતા રોષ
કોટડાસાંગાણી તા. ૧૦ : કોટડાસાંગાણી તાલુકા મથક હોવા છતાં રાજકોટ - કોટડાસાંગાણીની રૂટની બસ એકપણ ચાલુ નથી. સામાન્ય લોકોને તેમજ નોકરીયાત, શાપર - વેરાવળમાં કામ કરતા મજૂર વર્ગ, ન્યુઝપેપર એજન્ટ તથા લોઠડા ઇન્ડસ્ટ્રીઝ એરીયાના મજૂર લોકોને નાછૂટકે પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડે છે.
સરકાર એસ.ટી. બસ સ્ટેન્ડ નવા બનાવે છે પણ એકપણ બસ ના હોવાથી બસ સ્ટેન્ડ શોભાના ગાંઠીયા સમાન બની રહે છે. હાલ રાજકોટ - કોટડાસાંગાણી એક પણ બસ ચાલુ નથી તો ૯.૩૦ સવારે, બપોરે ૧ વાગ્યે રાજકોટ - સતાપર વાયા કોટડાસાંગાણી, સાંજે ૫.૩૦ વાગ્યે રાજકોટ - ખોખરી વાયા કોટડાસાંગાણી તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માંગણી કોટડાસાંગાણીનાપ ત્રકાર બસીરભાઇ બાંગાએ રજૂઆત કરેલ છે.
આ અંગેની રજૂઆત રાજકોટ ડિસીને પણ કરેલ છે તેમ બસીરભાઇએ જણાવ્યું હતું.