News of Thursday, 8th April 2021
કચ્છના નખત્રાણામાં શિક્ષક દંપતીના ઘરમાંથી અઢી લાખની રોકડ સહિત ૩.૮૨ લાખની ચોરી
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ : નખત્રાણા અને ભુજમાં મકાન ધરાવતાં શિક્ષક દંપતી ભુજમાં પોતાને ઘેર હતા અને નખત્રાણા મધ્યે તેમનું જે મકાન બંધ હતું તેમાં ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
નરા (લખપત) મધ્યે હાઈસ્કૂલમાં આચાર્ય રણજીતસિંહ જાડેજા અને નખત્રાણા કન્યા શાળામાં આચાર્ય તેમના પત્ની હંસાબાએ મણિનગર નખત્રાણા મધ્યે તેમના બંધ ઘરમાંથી ૨ લાખ ૫૯ હજાર, ૯૮૦ ની રોકડ રકમ ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત ૩.૮૨ લાખની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.
શિક્ષક ઉપરાંત વ્યવસાયે ખેતી ધરાવતા રણજિતસિંહના એરંડાના પાકના આવેલા રૂપિયા ઘરમાં રાખ્યા હતા જે તસ્કરો ચોરી ગયા હતા. નખત્રાણા પીઆઈ ચૌધરી અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.
(11:36 am IST)