જસદણમાં ૩ કલાકમાં ૫૨ કોરોના કેસ
હજુ ગ્રામ્ય વિસ્તારના આંકડા સાંજે જાહેર થશે
(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૭ : જસદણમાં આજે બપોરના ૧૨ વાગ્યા સુધીમાં માત્ર ૩ કલાકમાં કોરોનાના એક સાથે ૫૨ પોઝીટીવ કેસ આવતા ખળભળાટ મચી ગયો છે.
આજે સવારના ૯ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં જસદણની સરકારી હોસ્પીટલ ખાતે કરવામાં આવેલા કોરોના રીપોર્ટના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ૩ કલાકમાં જ ૫૨ વ્યકિતના રીપોર્ટ પોઝીટીવ આવતા ચિંતા પ્રસરી ગઈ છે.
જા કે હજુ જસદણના ગ્રામ્ય વિસ્તારોના કોરોના ટેસ્ટના આંકડા સાંજે જાહેર કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના મહામારીએ માઝા મુકી છે. જેના કારણે લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.
જસદણમાં હાલમાં કોવિડ હોસ્પીટલ ખાતે માત્ર ૨૪ બેડની સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં વધુ બેડ ફાળવવા માંગણી થઈ છે.
આ ઉપરાંત વિરનગરની હોસ્પીટલ ખાતે પણ કોવિડ હોસ્પીટલ કાર્યરત છે. જેમાં ઓકિસજનની સુવિધા પુરી પાડવા માંગણી થઈ છે.(૨-૧૭)