સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

ચોરવાડના આછીદ્રા ગામે દિવાલ પડતા યુવાનનું કરૂણ મૃત્યુ

પીજીવીસીએલના થાંભલાએ યુવાનનો ભોગ લીધો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭ : ચોરવાડના આછીદ્રા ગામે દિવાલ પડતા યુવાનનું મોત થતા મેંદરડા પંથકમાં પીજીવીસીએલના થાંભલાએ યુવકનો ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

જુનાગઢ જિલ્લાના ચોરવાડ પાસેના આછીદ્રા ગામે ગઇકાલે દેવશીભાઇ જીવણભાઇ મકવાણા (ઉ.૪૭) ના મકાનનું કામ ચાલતુ હતું ત્યારે દિવાલ પાસે બેઠા હતા.

આ દરમિયાન દેવશીભાઇ ઉપર અકસ્માતે દિવાલ પડતા તેને ગંભીર ઇજા થવાથી મૃત્યુ થતા ચોરવાડ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

થાંભલાએ ભોગ લીધો

મેંદરડા તાલુકાના માલણકા ગામે વેરાવળના મોરાજ ગામના કાનાભાઇ મેરામણભાઇ રાઠોડ (ઉ.૩ર) વગેરે ગઇકાલે ટ્રકમાંથી પીજીવીસીએલના થાંભલા ઉતારતા હતા.

ત્યારે થાંભલો પલ્ટી જતા કાનાભાઇને ગંભીર ઇજા થતા તેમનું જુનાગઢ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.

(12:38 pm IST)