હવે મધરાતથી પરોઢીયે સુધી જ વર્તાતી ઠંડક
રાજકોટ તા. રર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે-ધીમે ઠંડીની અસર ગાયબ થઇ રહી છે.
અને ઉનાળા જેવું વાતાવરણ છવાઇ રહ્યું છે.
માત્ર મધરાતથી વહેલી સવાર સુધી ઠંડકની અસર વર્તાઇ રહી છે ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી લઘુતમ ૧૮.પ ડિગ્રી હવામાં ભેજ ૬૩ ટકા અને પવનની ઝડપ પ.૬ કિ.મી.પ્રતિ કલાક રહી છે.
જુનાગઢમાં સવારથી જ સુર્યદેવતા કોપાયમાન
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : આજે જુનાગઢમાં સવારથી જ સુર્યદેવતા કોપાયમાન થતા લોકોની મુશ્કેલી વધી છે.
રવિવારે જુનાગઢનું મહત્તમ તાપમાન ૩પ.૧ ડિગ્રી નોંધાતા આખો દિવસ ઉનળાની અનુભુતિ થઇ હતી.
દરમ્યાન આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૬.૯ નોંધાતા સવારથી ગરમી શરૂ થઇ ગઇ સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા રહેતા ધુમ્મસ છવાય ગયું હતું પવનની પ્રતિકલાકની ઝડપ ત્રણ કી.મી.ની રહી હતી.