સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

ઉના પાસે ડમ્‍પર અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં વેરાવળના યુવાનનું મોત

અકસ્‍માતમાં બીજા યુવાનને ગંભીર ઇજાઃ રાજકોટ ખસેડાયો

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૨૨: ઉના-કોડીનાર હાઇવે ઉપર ડમ્‍પર અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં વેરાવળના વનરાજભાઇ અશ્વીનભાઇ ગોહીલનું મોત નિપજયું હતું. કારમાં બેઠેલા બીજા યુવાનને ગંભીર ઇજા થતા રાજકોટ સારવારમાં ખસેડાયેલ છે.

ઉના-કોડીનારને નેશનલ હાઇવે રોડ ઉપર ઉનાથી ૬ કી.મી. દુર સીલોજ-નાથળ ગામ જતા રોડ ઉપર ઉનાથી મોટરકારમાં વેરાવળ જતા વનરાજભાઇ અશ્વીનભાઇ ગોહીલ (ઉ.વ.ર૪) રે.વેરાવળ અને પ્રતિષભાઇ મહેન્‍દ્રભાઇ ગોહીલ (ઉ.વ.ર૦) રે.વેરાવળવાળાને સામેથી આવતા ટમ્‍પર નંબર જી.જે. ૩ર પી ૭૮ર૭ના ચાલકે પુરઝડપે બેદરકારીથી ડમ્‍પર ચલાવી મોટર કાર સાથે ભટકાવતા મોટર કારનો બુકડો બોલી ગયો હતો.

મોટરકારમાં રહેલ બે યુવાનને મહામહેનતે લોકોએ બહાર કાઢી ઉના દવાખાને ખસેડેલ હતો. જેમાં વનરાજભાઇ અશ્વીનભાઇ ગોહીલનું ઘટના સ્‍થળે મોત થઇ ગયાનું ડોકટરે જણાવેલ હતુ અને પ્રતિષભાઇ મહેન્‍દ્રભાઇ ગોહીલને પગ, માથા, શરીરના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ ઉના ખાનગી દવાખાને વધુ સારવર માટે રાજકોટ ખસેડલ છે.

અકસ્‍માતની જાણ વેરાવળગોહીલ પરીવારને થતા ઉના આવી ગયેલ છે. વનરાજભાઇનું પોસ્‍ટલ કરાવી વેરાવળ લઇ ગયા હતા. ઉના પોલીસમાં ડમ્‍પર ચાલક સામે અકસ્‍માત કરી મોત પોલીસમાં ડમ્‍પર ચાલક સામે અકસ્‍માત કરી મોત નિપજાવ્‍યાની ફરીયાદ નોંધાવી હતી.

(11:45 am IST)