સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

ચાવંડ પાસે યાત્રીકોની બસ અટકાવતા પૂર્વ સાંસદ સંઘાણીએ દરમિયાનગીરી કરી મુકત કરાવી

રાજુલા : તાલુકાના રામપરા, કોવાયા અને ઉચૈયા ગામના આહિર તથા કાઠી ક્ષત્રીય સમાજના મહિલા પુરૂષો ૪૦ મુસાફરો દક્ષિણ ભારતની યાત્રાએથી પરત ફરતા હતા તે દરમિયાન કોરોનાને લઇને વાહનોનું ચેકીંગ થતું હોય અમરેલી જિ. ના ચાવંડ ગામ પાસે ફરજ પરના પોલીસ કર્મીએ બસને અટકાવી હતી બસમાં ટુર ઓપરેટર પણ સાથે જ હતા તેમણે સ્થાનીક પત્રકાર શિવ રાજગોરને સંપર્ક કરેલ. શિવ રાજગોર સાંસદ દિલીપ સંઘાણીને વાકેફ કરતા સંઘાણીએ મુસાફરોને તેમજ બસને મુકત કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જાણ કરતા સંવેદનશીલ મુખ્યમંત્રીએ તમામ મુસાફરોનું મેડીકલ ચેકઅપ કરાવી રાજૂલા સુધી પહોંચતા કરવાની સુચના કરતા તમામ મુસાફરોનું રાજૂલા જનરલ હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરી મુકત કરાવી મુસાફરોમાં રાહતની લાગણી જોવા મળી હતી.

(1:14 pm IST)