News of Tuesday, 3rd December 2019
પડધરીના ઉકરડામાં આદિવાસી પરિવારના ચારને મધમાખીઓ કરડી
મુન્નીબેન, સુમિતા, પિયુષ અને ચંદનને રાજકોટમાં સારવાર
રાજકોટ તા. ૩: પડધરીના ઉકરડા દહીંસરા ગામે સંજયભાઇ હરખાભાઇ રૈયાણીની વાડીમાં રહી મજૂરી કરતાં આદિવાસી પરિવારના મહિલા અને ત્રણ બાળકોને મધમાખીઓ કરડી જતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
મુન્નીબેન કાળુભાઇ ગણાવા (ઉ.૩૫), સુમિતા કાળુભાઇ (ઉ.૫), ચંદન કાળુભાઇ (ઉ.૩) અને પિયુષ પંકજભાઇ ગણાવા (ઉ.૩)ને સાંજે ચારેક વાગ્યે વાડીએ હતાં ત્યારે મધમાખીઓ કરડી જતાં દેકારો મચાવી મુક્યો હતો. વાડી માલિકે પડધરી સારવાર અપાવી રાજકોટ ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
(11:44 am IST)