સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ રેન્જ આઇજીની હાજરીમાં મોકડ્રિલ
જિલ્લા કલેકટર, DDOનું આતંકવાદીઓએ અપહરણ કર્યું
વઢવાણ,તા.૨: રાજકોટ રેંજના ઇન્સપેકટર જનરલ સંદીપ સીંદ્ય બે દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાના ઇન્સપેકશન પર હતા. જેમાં શનીવારે સવારે જિલ્લાભરના પોલીસ અધિકારી અને જવાનોની પોલીસ પરેડનું તેઓએ નિરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શનથી જિલ્લાની પોલીસની તત્પરતા ચકાસવા માટે મોકડ્રીલનું આયોજન કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનું ત્રણ આતંકવાદીઓએ અપહરણ કર્યા હોવાનો મેસેજ ફરતો થતા જ જિલ્લાની પોલીસ તુરંત એકટીવ મોડમાં આવી ગઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા મયૂરદાન ગઢવી જિલ્લા કલેકટર અને ઇલીયાસભાઇ સોલંકી જિલ્લા વિકાસ અધિકારી બન્યા હતા.ઙ્ગ
જયારે વિજય પનારીયા, વિજય સીંધવ અને અશ્વીનભાઇએ આતંકવાદીનો રોલ કર્યો હતો. બંદૂકના સામ-સામે ગોળીબાર વચ્ચે દિવાલ કૂદીને પોલીસ સ્ટાફ અંદર ગયો હતો. અને સામ-સામા ગોળીબારમાં બે આતંકીઓને ઠાર મરાયા હતા. જયારે એકને જીવતો પકડી બન્ને અધિકારીઓને સહી સલામત બહાર લવાયા હતા. પોલીસના દિલધડક અને સનીસનીખેજ ઓપરેશનને નીહાળવા જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે બે દ્યડી શહેરીજનો થોભી જતા હતા.