બગોદરામાં જુથ અથડામણમાં ઈજાગ્રસ્ત યુવકનું મોતઃ ૨ સગા ભાઈઓના મોતથી અરેરાટી
વઢવાણ, તા. ૯ :. બગોદરા પાસે કોળી સમાજના ખેતરમાં ભરવાડને ઘાસ લેવાની ના પાડતા થયેલ બોલાચાલી બાદમાં ભરવાડ સમાજના અને કોળી સમાજ સામસામે જુથ અથડામમ સર્જાઈ હતી.
જેમા દશરથ દેવત્રા (ઉ.વ. ૧૬) નામના શખ્સને ઘાયલ થતા સારવાર મળે તે પહેલા જ તેનુ મોત થયેલ હતુ. જ્યારે અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જવાયેલ.
મયુર દેવત્રા (ઉ.વ.૨૦)નું સારવાર દરમ્યાનમાં મોત થતા કોળી પરિવારમા ભારે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
આ ધીંગાણામાં સાત કોળી ઘાયલ થયા હતા. જેમાં યુવાન વયે જ બે સગા ભાઈઓના ઢીમ ઢાળી દેવાની ઘટના બની છે.
ત્યારે અનિચ્છનીય બનાવ ન બને તે માટે બગોદરા પોલીસે અગાઉ પાંચની ધરપકડ કરેલ જ્યારે વધુ વધુને ભરવાડ રઘુ હરી અને ભીખા હરીની ધરપકડ કરવામાં આવેલ છે. બગોદરા ગામમા પોલીસ ખડકી દેવામાં આવેલ છે.