સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

ત્રણ દિવસ બાદ કચ્છ-મુંબઇ વચ્ચે એકતરફી ટ્રેન વ્યવહાર શરૃઃ ભુજથી કચ્છ એકસપ્રેસ અને સયાજીનગરી મુંબઇ જવા રવાના

        ભુજઃ સતત ત્રણ દિવસ સુધી કચ્છ-મુંબઇ વચ્ચે ટ્રેન વ્યવહાર ઠપ્પ રહ્યા બાદ આજે એક તરફે થતા ભુજથી કચ્છ એકસપ્રેસ અને સયાજીનગરી મુંબઇ જવા રવાના થશે.મુંબઇ તરફથી આવનારી ટ્રેન આવી છે.

આ અંગેની વિગતે વાત કરીએ તો કચ્છમાં વરસેલા ભારે વરસાદ અને ત્યારબાદ રેલવે ટ્રેકોને પહેાચેલ કચ્છનો અન્ય જિલ્લા તેમજ રાજયો સાથેનો રેલ વ્યવહાર કટ થઇ ગયો હતો. વોંધ સહિતના વિસ્તારમાં ટ્રેકોના સમારકામ માટે સ્થાનિક ઉપરાંત જિલ્લા બહારની રેલવેની ટીમો કામે લાગતા ગુડઝ  ટ્રેનોને ગઇ દિવસથી પ્રવાસી ટ્રેનો બંધ હોઇ એક તરફ રેલવેની લાખોની નુકશાની ભોગવવી પડી હતી. બીજી તરફ મુશ્કેલીમા મુકાયા હોય અંતે આજથી કચ્છ-મુંબઇ વચ્ચે એક તરફી રેલ વ્યવહાર પૂર્વવત કરવાનો નિર્ણય પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આજે ભુજની ટ્રેન નં. રર૯પ૬ કચ્છ એકસપ્રેસ તેમજ ટ્રેન નં. ૧૯૧૧૬ સયાજી જવા રવાના થશે. જો કે મુંબઇથી ઉપડનારી ટ્રેન નં. રર૯પપ કચ્છ એકસપ્રેસ ટ્રેન નં ૧૯૧૧પ સયાજુ ટ્રેન નં. ૧ ર૯૬૯ દાદર-ભૂજ રદ કરવામા આવી છે.

(11:32 pm IST)