સુરેન્દ્રનગર સી.યુ. શાહ કોલેજમાં લાંચ માંગનાર કલાર્ક ભૂગર્ભમાં: ઘરે દરોડા
વઢવાણ, તા. ૧૩ : સુરેન્દ્રનગર સી.યુ. શાહ મેડીકલ કોલેજના કલાર્ક દ્વારા એટીકેટી સોલ્વ કરાવવા માટે રૂ. ર.પ લાખની માંગણીની ઘટનામાં એ.સી.બી. રહી રહીને બનાવને ૧૪ માસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે લાંચીયા સી.યુ. શાહ મેડીકલ કોલેજના કલાર્કના નિવાસ સ્થાન ખાતે એ.સી.બી.ના દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે આ લાંચિયા કલાર્ક ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ત્યારબાદ ગુનાની કાર્યવાહી થયા બાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે અને કલાર્કના નિવાસ સ્થાન ખાતે દરોડો અચાનક જ પાડવામાં આવતા કલાર્ક હાજર મળી આવ્યો ન હતો.
ત્યાર નિમેષ મકવાણાના ઘરે હાજર રહેલા વ્યકિતઓ દ્વારા આ કલાર્ક નિમેષ મકવાણા ઇન્ટરવ્યુ આપવા માટે દિલ્હી ગયો હોવાનું જાણવા મળેલ. ત્યારે હાલ નિમેષ મકવાણા ભૂગર્ભમાં ઉતરી ગયો છે કે ઉતારી દેવામાં આવ્યો જેની ચર્ચા શહેરમાં ચાલી રહી છે.