અમદાવાદમાં ગુજરાતી લેખક મંડળની સામાન્ય સભા પરિસંવાદનું આયોજન
સર્જકો- લેખકોને ભાગ લેવા આમંત્રણ
ભાવનગર/વેળાવદર,તા.૧૩: ગુજરાતી લેખક મંડળના પ્રમુખ શ્રી મનીષીભાઈ જાનીના જણાવ્યા મુજબ લેખક મંડળની સામાન્ય સભા તથા એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૮- ૮ -૧૯ને શનિવારના રોજ અહિંસા ભવન, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સામેલ થવા તમામ સર્જકો લેખકો સાદર નિમંત્રિત છે.
સવારે ૯- ૪૫ થી ૧૧ સુધી લેખક મંડળની વાર્ષિક સામાન્ય સભા રહેશે. ત્યારબાદ ૧૧ થી ૧-૩૦ સુધી આદિવાસી લોકસાહિત્યમાં વિશિષ્ટ માનવીય મૂલ્યો પર ભગવાનદાસ પટેલ, ફાધર રેમન્ડ ચૌહાણ વગેરે વકતવ્ય આપશે. ૨- ૩૦ થી ૫-૩૦ સુધી વંચિત સમુદાયના સાહિત્ય પર દક્ષિણ છારા ,જીતેન્દ્ર વસાવા, કુલીન પટેલ વગેરે પોતાની અભિવ્યકિત કરશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર લેખક મંડળના સભ્યોએ તથા અન્યોએ સામેલ થવા તન્મય તિમિર ૮૮૬૬૧૯૫૩૨૩ અથવા તખુભાઈ સાંડસુર ૯૪૨૭૫૬૦૩૬૬ ને નામ નોંધણી કરાવવાની રહેશે.