સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

ઇદના પવિત્ર તહેવાર પ્રસંગે પણ

માણાવદરના મુસ્લિમ કોર્પોરેટરે પ્રજાના ગટરના પ્રશ્નને ઉકેલવા અગ્રતા આપી

તહેવારની ઉજવણીને બદલે જાતે ભુગર્ભ ગટરનો પ્રશ્ન ઉકેલાવ્યો

માણાવદર તા ૧૩  : માણાવદર પાલિકામાં મુસ્લિમ કોર્પોરેટર નિશાર  ઠેબા એ ચુંટાયા બાદ સમગ્ર શહેરમાં સોૈથી શ્રેષ્ઠ કામગીરી કરી છે, તેમાં આજે ઇદના પવિત્ર તહેવારમાં પણ આ મુસ્લિમ કોર્પોરેટરને રાંદલમઢ ગલીમાં ભુગર્ભ ગટરના પ્રશ્ને કોલ મળતાંજ '' પ્રજાનું કામ ઓન ધ સ્પોટ''ના ફેસલો લઇ તત્કાલ રજા હોવા છતાં, તેમજ પોતાના પવિત્ર તહેવાર હોવા છતાં પ્રજાની પડખે ઉભા રહી સેનીટેશન સ્ટાફ સાથે સતત રહીને પ્રજાનું કામ ઓન ધ સ્પોટ નિકાલ કર્યો.

પાલિકામાં તમામ કોર્પોરેટર આવું કામ કરે તો કયારેય મત માંગવા ન જવુ પડે તેમજ પાલિકાને પ્રશ્ન ન રહે. આજે આ નિશારભાઇ ઠેબાને સલામ સાથે અભિનંદન પ્રજાજનો પાઠવી રહ્યા છે.

ખરેખર આવા સતત  પ્રવૃતીશીલ અનેક કામો અગાઉ તહેવારમાં પ્રજાને દુષ્કાળમાં પાણી ટેન્કરો પુરા પાડી એક સાચા પ્રજાલક્ષી કોર્પોરેટર કોઇપણ નાત-જાત વગર કામગીરી કરી અભિનંદન મેળવ્યાં છે.

(10:06 am IST)