ઇદના પવિત્ર તહેવાર પ્રસંગે પણ
માણાવદરના મુસ્લિમ કોર્પોરેટરે પ્રજાના ગટરના પ્રશ્નને ઉકેલવા અગ્રતા આપી
તહેવારની ઉજવણીને બદલે જાતે ભુગર્ભ ગટરનો પ્રશ્ન ઉકેલાવ્યો
માણાવદર તા ૧૩ : માણાવદર પાલિકામાં મુસ્લિમ કોર્પોરેટર નિશાર ઠેબા એ ચુંટાયા બાદ સમગ્ર શહેરમાં સોૈથી શ્રેષ્ઠ કામગીરી કરી છે, તેમાં આજે ઇદના પવિત્ર તહેવારમાં પણ આ મુસ્લિમ કોર્પોરેટરને રાંદલમઢ ગલીમાં ભુગર્ભ ગટરના પ્રશ્ને કોલ મળતાંજ '' પ્રજાનું કામ ઓન ધ સ્પોટ''ના ફેસલો લઇ તત્કાલ રજા હોવા છતાં, તેમજ પોતાના પવિત્ર તહેવાર હોવા છતાં પ્રજાની પડખે ઉભા રહી સેનીટેશન સ્ટાફ સાથે સતત રહીને પ્રજાનું કામ ઓન ધ સ્પોટ નિકાલ કર્યો.
પાલિકામાં તમામ કોર્પોરેટર આવું કામ કરે તો કયારેય મત માંગવા ન જવુ પડે તેમજ પાલિકાને પ્રશ્ન ન રહે. આજે આ નિશારભાઇ ઠેબાને સલામ સાથે અભિનંદન પ્રજાજનો પાઠવી રહ્યા છે.
ખરેખર આવા સતત પ્રવૃતીશીલ અનેક કામો અગાઉ તહેવારમાં પ્રજાને દુષ્કાળમાં પાણી ટેન્કરો પુરા પાડી એક સાચા પ્રજાલક્ષી કોર્પોરેટર કોઇપણ નાત-જાત વગર કામગીરી કરી અભિનંદન મેળવ્યાં છે.