લખતરનાં તાવીમાં કેનાલમાં ગેરરીતિને કારણે ગાબડુ : ખેડૂતોએ રજુઆત કરી
સુરેન્દ્રનગર, તા. ૧ર : જિલ્લા ના લખતર ના તાવી ની કેનાલ ગેરરીતી ના કારણે કેનાલ માં ગાબડું પડ્યું હોવાનો ખેડૂતો દવારા આક્ષેપ કરાયો છે અને આ બાબતે મામલતદારને રજુઆત કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ લખતરના તાવી ગામે કેનાલ તુટવા પામતા કેનાલના થયેલા ખરાબ કામો ની પોલ ખુલતા અને ખેડુતો એ આ બાબતે મામલતદાર ને આવેદન આપતા ભારે ચકચાર મચી જવા પામીછે
લખતર ના તાવી ગામે કેનાલ તુટવા પામતા કેનાલ ના થયેલા ખરાબ કામો ની પોલ ખુલતા અને ખેડુતો એ આ બાબતે મામલતદાર ને આવેદન આપતા અને તંત્ર એ પોલિસ મા ખેડુતો ના આોવર ટેપીંગ થી તુટી હોવા ના આક્ષેપ કરવા મા આવતા આજે ખેડુતો મા ભારે રોષ ફેલાયો હતો અને નર્મદા નિગમ પોતાની ભુલ અને કરેલ ગેર રીતી ની પોલના લિધે કેનાલ તુટી હોવાનુ જણાવી આવેદન પત્ર આપતા ભારે ચકચાર ફેલાઇ છે.