ખંભાળીયાની સરકારી હોસ્પિટલના લોકપ્રિય તબીબ ડો. રાજેનનું સ્વૈચ્છીક રાજીનામુ
મેડીકલ ઓફીસરની પાંચ જગ્યા ખાલી...!!
ખંભાળીયા તા. ૧૧ :.. સરકારી હોસ્પિટલમાં મેડીકલ ઓફીસર તરીકે વર્ષોથી ફરજ બજાવતા ડો. રાજેનએ સ્વૈચ્છીક નિવૃતિ લઇને રાજીનામું મુકતા આરોગ્ય વિભાગે તે મંજૂર કરતા ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વર્ષોથી મળતી ખુબ જ સુંદર સેવા બંધ થઇ છે.
ડો. રાજેન વર્ષોથી ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં સેવા આપતા હતા તથા વર્ષો સુધી ઢગલાબંધ ઓ. પી. ડી. કોઇ ફરીયાદ વગર કરતા આવ્યા હતા તથા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓમાં ખુબ લોકપ્રિય સેવાભાવી તબીબ તરીકે છાપ ધરાવતા હતાં.
સરકારી હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ હોય તથા અહીં રોજના ૮૦૦ થી ૧૦૦૦ આઉટડોર પેશન્ટ વચ્ચે માત્ર આઠ તબીબોની મેડીકલ ઓફીસરની જગ્યા છે તે પણ ડો. રાજેન જતાં પાંચ જગ્યા ખાલી થતાં દર્દીઓની હાલાકીમાં વધારો થવા પામ્યો છે.