લીંબડી બગોદરા હાઇ-વે ઉપર અકસ્માતમાં ર ના મોત
અમદાવાદથી રાજકોટ જતી કારનું ટાયર ફાટતા ડમ્પર પાછળ ઘુસી ગઇ : ૬ ને ઇજા
વઢવાણ, તા. ૧૧ : સુરેન્દ્રનગર જિલ્લા ના દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો થઈ રહો છે.સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી બગોદરા હાઈવે પર કાન પુર ના પાટિયા પાસે અચાનક અકસ્માત સર્જાયો હતો.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના લીમડી બગોદરા હાઇવે પર રોજ બરોજ નાના મોટા અકસ્માત સર્જાય કરતા હોય છે.ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લા ના લીમડી બગોદરા હાઇવે કાનપુર ના પાટિયા પાસે કાર અને દમપર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ત્યારે આ અકસ્માત માં દ્યટના સ્થળે જ બે અકાલભાઇ હરીફભાઇ સહિત વ્યકિત ના મોત નિપજયા હતા.ત્યારે અન્ય ૬ લોકો ને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે આ ૬ લોકો ને સારવાર અર્થે સુરેન્દ્રનગર રાજકોટ અને અમદાવાદ એમ અલગ અલગ સ્થળે રીફર કરવા માં આવ્યા છે.
આજે વહેલી સવારે લીમડી બગોદરા હાઇવે પર કાનપુર ના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ત્યારે આર્ટિગા કાર નું ટાયર ફાટતાઙ્ગઙ્ગ ફુલ સ્પીડ માં સામે ના રોડ પર આવતા ટ્રેક સાથે થડાકા ભેર અથડાઈ હતી.
ત્યારે આર્ટિગા કાર અથડાતા કાર માં બેસેલ ૮ પેઈકી ૨ ના મોત નિપજયા હતા.અને અન્ય ૬ લોકો ને ઇજા પહોંચી હતી.ત્યારેઙ્ગ અકસ્માતમાં ૨દ્ગક્ન મોત ૬ લોકોને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે લીબડી હોસ્પિટલ ખસેડાયા હતા.ત્યાર બાદ તેમણે વધુ સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં રીફર કરવા માં આવીયા હતા.
આ અકસ્માતમાં શબ્બીર ભાઈ સુલતાન ભાઈ, કિરીટભાઈ ગોપાલભાઈ, ધવલભાઈ કાળુભાઇ, સાહિલ રસુલભાઈ, ઈલિયાસ ભાઈ ઇસ્માઇલ ભાઈ,કંકુબેન પ્રેમજીભાઈને ઇજા થઇ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.